જસદણ

જસદણમાં ચિતલીયા રોડ પર રહેતા 43 વર્ષીય મહિલાનો તેના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત.

જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ ગોવિંદનગરમાં રહેતા દયાબેન ગીરીશભાઈ કાપડીયા(ઉ.વ.43) એ પોતાના ઘરે એકલતાનો લાભ ઉઠાવી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવની જાણ થતા તેમના પરિવારજનો તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા અને દયાબેનને જસદણની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ ત્યાં હાજર તબીબે દયાબેનને મૃત જાહેર કરતા પરિવારજનો શોકાતુર થઈ ગયા હતા. આ આપઘાતના બનાવની જાણ કરાતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મૃતકના પરિવારજનોના નિવેદનો લઈ મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક દયાબેનના પતિ હીરા ઘસવાનું કામ કરે અને તેમને સંતાનમાં બે દીકરા છે. પરંતુ દયાબેને અગમ્યકારણોસર આ પગલું ભરી લેતા બન્ને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. હાલ આ આપઘાતના બનાવની વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.

Related posts

રાજકોટના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં ઝેરી દવા પી લેતાં કરૂણ મોતજસદણના બોઘરાવદર ગામે ધો.12 ભણતો હતો

Rajesh Limbasiya

જસદણના એક યુવકે સગીરાને બે વખત ભગાડી લઇ જઇ યુવકે દુષ્કર્મ આચર્યું

Rajesh Limbasiya

જસદણ તાલુકાની શ્રી જુનાપીપળીયા તા.શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

Rajesh Limbasiya