Blog

જસદણના ન્યાયાલયમાં ૧૫ મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી

જસદણ ન્યાયમંદિર ખાતે ૧૫ મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ.જેમાં જસદણ ન્યાય મંદિરના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજશ્રી કે.એન.દવે તથા એડિશનલ સિવિલ જજશ્રી વી.એ.ઠકકર તથા વિંછીયાના પ્રિન્સિપાલ સિવિલ જ્જશ્રી કે.એન. જોષીની હાજરીમા ૭૮ માં સ્વત્રંતતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. આ ભવ્ય ઉજવણી પ્રસંગ નિમિતે જસદણ કોર્ટના એ.પી.પી.શ્રી કે.એમ.ચૌધરી, રજિસ્ટારશ્રી એમ.બી પંડ્યા તથા જસદણ બાર એસોસિયેશન પ્રમુખ પ્રતિનિધીશ્રી એમ.જે.આર્ચાય, ઉપપ્રમુખશ્રી વાય.એલ દલાલ તથા જસદણ બાર એસોસિયેશન કમિટી મેમ્બરો તેમજ સિનિયર ધારાશાસ્ત્રીશ્રી વી.એન.વાલાણી, આર.એન.શેઠ, જાગેશભાઈ મણીયાર, આર.એસ.નાગાણી, હરેશભાઈ સોલંકી, મધુબેન તોગડીયા તથા ઘણા બધા સિનિયર અને જુનિયર વકિલમિત્રો તથા કોર્ટ કર્મચારીગણો તથા પોલીસ કર્મચારીશ્રીઓ હાજર રહેલ તેમ એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે.

Related posts

રાજકોટ LCB એ ધોરાજીના ફરેલી તેમજ જેતપુરના જેતલસર ગામમાંથી Bsnl ના ટાવરમાં થયેલ કોપર કેબલ ને ચોરીનો ભેદ ઉકેલાયો બે લોકોની ધરપકડ

Rajesh Limbasiya

રાજકોટ જસદણ ના ચુનારાવાડ પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓને પ્રથમ નંબર મેળવનાર દરેક વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા.

Rajesh Limbasiya

જસદણ ના ટાટા ના શોરૂમ નજીક મારામારી બનાવો ત્રણ આરોપી વિરુદ્ધ જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાયેલYJ

Rajesh Limbasiya