જસદણ

જસદણ પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી અને દશેરા જેવા ધાર્મિક તહેવારના અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન

ગુજરાત પોલીસ વિભાગની એક નવા અભિગમ પહેલના અનુસંધાને રાજકોટ જિલ્લાના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સાહેબની સુચનાથી અને ડી.વાય.એસ.પી. કે.જી.ઝાલા સાહેબના માર્ગદર્શન સાથે, જસદણ પોલીસ સ્ટેશનના પી.આઇ. ટી.પી. જાની સાહેબના સહયોગથી જસદણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આઈ.એમ.સરવૈયા સાહેબના અઘ્યક્ષ સ્થાને જસદણ પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી અને દશેરા જેવા ધાર્મિક તહેવારના અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જસદણના શહેરના ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખશ્રી અશોકભાઈ ધાધલ, જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનશ્રી પંકજભાઈ ચાંવ, બિલ્ડરશ્રી કુલદીપભાઈ પટગીર, સામાજિક આગેવાન નરેશભાઈ દરેડ તેમજ ધીરુભાઈ છાયાણી, એડવોકેટ પ્રકાશ પ્રજાપતી તેમજ લઘુમતિ સમાજના સામાજિક અગ્રણી રફિકભાઈ રાવાણી, ઇલિયાસભાઈ લોહિયા, ઉદ્યોગપતિ ઇમરાનભાઈ ખીમાણી તેમજ વિવિધ સમાજના રાજકીય, સામાજિક, શૈક્ષણિક આગેવાનો તેમજ વેપારી અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રના શહેરીજનો હાજર રહેલ. આ શાંતિ સમિતિ મિટિંગમાં જસદણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.- આઈ.એમ. સરવૈયા સાહેબે માહિતી માર્ગદર્શન આપેલ અને જસદણ પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે તેવું જણાવેલ અને આ શાંતિ સમિતિ મીટીંગની વ્યવસ્થા જસદણ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.વી. રોજસરા સાહેબ દ્વારા કરવામાં આવેલ તેમ જસદણના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા તેમની યાદીમાં જણાવેલ છે.

Related posts

જસદણ તાલુકાના ચિતલીયા ગામમાં તુલસી વિવાહનું આયોજન

Rajesh Limbasiya

જસદણના આટકોટ ,ગુંદાળા રોડ પર અકસ્માત સર્જાયો

Rajesh Limbasiya

જસદણના સાણથલી ગામે 24 કલાકનુ રામાપીરનુ નું આખ્યાન યોજાશે. દિલીપભાઈ ડાભીએ આપી પ્રતિક્રિયા

Rajesh Limbasiya