જસદણ

કમળાપુર ગામમાં આંગણવાડીમાં નાના નાના ભૂલકાઓએ નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરી

કમળાપુર ગામમાં આંગણવાડીમાં નાના નાના ભૂલકાઓએ નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરી અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો,”જેમાં બાળકોને આંગણવાડી વર્કર કિહલા રસીલાબેન તથા હેલ્પર જોશી પારુલબેન દ્વારા નવરાત્રી વિશે સમજ આપી અને આનંદથી ઉત્સાહથી રાસ દાંડિયા બાળકો અને વર્કર બહેનો બંને સાથે રાસ દાંડિયા લીધા, તેમજ નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ઉજવવામાં આવે છે માતા આદ્યશક્તિ અંબા માતાએ મહિષાસુર રાક્ષસ સામે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું અને દસમા દિવસે મહિષાસુર રાક્ષસ મરાયો અંબા માતાએ મહિષાસુર રાક્ષસ નો વધ કરીને લોકોને તેના ત્રાસમાંથી છોડાવ્યો તેની ખુશીમાં લોકો માતાજીના નવ દિવસ સુધી ગુણગાન ગરબા રાસ વગેરે નવ દિવસ સુધી રાત્રે ગરબા રાસ દાંડિયા લઈને આનંદ ઉત્સાહભેર આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ


Related posts

જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણની ફરિયાદ

Rajesh Limbasiya

જસદણમાં આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ મંદિર જસદણ ના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયુ

Rajesh Limbasiya

જસદણ ન્યાયાલય દ્વારા જસદણ શહેરની સરકારી કુમાર તાલુકા શાળામાં કાયદાકીય-કાનૂની લીગલ સેમીનારનું આયોજન કરવામાં આવેલ

Rajesh Limbasiya