જસદણ

જસદણના સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામમાં અંધશ્રદ્ધા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ…

જસદણના સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામમાં કાળી ચૌદસના રાત્રી સમયે અંધશ્રદ્ધા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં
જસદણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આઈ. એમ. સરવૈયા સાહેબ અને જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ – પ્રકાશ પ્રજાપતી – એડવોકેટ ( ગુજરાત હાઇકોર્ટ) દ્વારા જસદણ સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામની મુલાકાત લીધેલ અને નાગરિકોને અંધશ્રદ્ધા અંતર્ગત માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ અને પી.એસ.આઇ. આઈ.એમ.સરવૈયા સાહેબ જણાવેલ કે લોકોમાં શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અંધશ્રધ્ધાથી દૂર રહેવું જોઈએ તેવો સંદેશો આપેલ તેમજ સ્વામી વિવેકાનંદ મોક્ષધામના પ્રમુખ જે.ડી. ઢોલરીયા તેમજ ધીરુભાઈ છાયાણી તેમજ કમિટી મેમ્બરો દ્વારા આવેલ નાગરિકો માટે ભજીયાનો અલ્પહાર રાખવામાં આવેલ અને દિવાળીની અને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવેલ તેમ એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ

Related posts

આમ આદમી પાર્ટી જસદણ વિછીયા દ્વારા સંગઠન મજબૂત કરવા માટે અગત્યની મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું.

Rajesh Limbasiya

જસદણ શહેર ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ વિજયભાઈ રાઠોડનો આજે જન્મદિવસ

Rajesh Limbasiya

જસદણના જીવાપર ગામે આવતી કાલે શૈક્ષણિક સન્માન સમારોહ કાર્યક્રમ યોજાશે

Rajesh Limbasiya