જસદણ

જસદણમાં ચિતલીયા રોડ પર રહેતા 43 વર્ષીય મહિલાનો તેના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત.

જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ ગોવિંદનગરમાં રહેતા દયાબેન ગીરીશભાઈ કાપડીયા(ઉ.વ.43) એ પોતાના ઘરે એકલતાનો લાભ ઉઠાવી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવની જાણ થતા તેમના પરિવારજનો તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા અને દયાબેનને જસદણની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ ત્યાં હાજર તબીબે દયાબેનને મૃત જાહેર કરતા પરિવારજનો શોકાતુર થઈ ગયા હતા. આ આપઘાતના બનાવની જાણ કરાતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મૃતકના પરિવારજનોના નિવેદનો લઈ મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક દયાબેનના પતિ હીરા ઘસવાનું કામ કરે અને તેમને સંતાનમાં બે દીકરા છે. પરંતુ દયાબેને અગમ્યકારણોસર આ પગલું ભરી લેતા બન્ને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. હાલ આ આપઘાતના બનાવની વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.

Related posts

જસદણ તાલુકાના ચિતલીયા ગામમાં તુલસી વિવાહનું આયોજન

Rajesh Limbasiya

સી.આર.સી સેન્ટર ઈન્ડો અમેરિકન પ્રાથમિક શાળા ખારચિયાના સી.આર.સી કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ 2023 -24 નું આયોજન

Rajesh Limbasiya

સરદાર ધામના અધ્યક્ષ ગગજીભાઈ સુતરિયાનું નિવેદન આપ્યું હતું કે પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતુંબાદમાં પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ આઅંગે નિવેદન

Rajesh Limbasiya