જસદણ

જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે શ્રી નરેશભાઈ પટેલ હાલ ગુજરાતભરનો પ્રવાસ કરી રહ્યા છે. શ્રી નરેશભાઈ પટેલે આજે પ્રવાસના પાંચમા દિવસે રાજકોટ જિલ્લાના જસદણનો પ્રવાસ કર્યો હતો. જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મા ખોડલની આરતી કરી હતી. ઉપસ્થિત લોકોએ શ્રી નરેશભાઈ પટેલનું સ્વાગત-સન્માન કર્યું હતું. આ તકે શ્રી નરેશભાઈ પટેલે હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલની આછી રૂપરેખા આપી સૌને હોસ્પિટલના ભૂમિદાન અભિયાનમાં વધુ ને વધુ સહભાગી બનવા અપીલ કરી હતી. જેને ઉપસ્થિત સૌ લોકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી.

Related posts

ઘેલા સોમનાથ મંદિર ખાતે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી

Rajesh Limbasiya

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ સંતો નાં આશીર્વાદ લીધા

Rajesh Limbasiya

જસદણના સાણથલી ગામે 24 કલાકનુ રામાપીરનુ નું આખ્યાન યોજાશે. દિલીપભાઈ ડાભીએ આપી પ્રતિક્રિયા

Rajesh Limbasiya